Wednesday, August 28, 2013

નશીબ હંમેશા સાહસી લોકોને સહાય કરે છે.

જેમણે મને ‘ જન્મ ‘ આપ્યો એ છે , મારા ‘ માતા પિતા ‘
મારી એક એક ‘ ઈચ્છા ‘ પૂરી કરી એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ ચાલતા ‘ એ છે , મારા ‘માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ બોલતા ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ સચ્ચાઈ ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને ‘ સંસ્કાર ‘ આપ્યા એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને દોસ્ત બની સમજાવી આ ‘જીવન જીવવાની ‘ વાત , એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમને હું કદી નથી લાગતી ‘ આકરી ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
દરરોજ મને ‘ વ્હાલ ‘ કરે છે એ છે , મારા ‘માતા પિતા ‘
દુનિયામાં સૌથી મને ‘ વ્હાલા ‘ છે એ છે , મારા ‘ માતા પિતા ‘

આપણું હોય તે જતું નથી અને જાય છે તે આપણું નથી.


નસીબ થી વધુ અને ભાગ્ય થી વધારે ન કોઈ ને મળ્યું છે અને ન કોઈ ને મળશે

પત્ની મનપસંદ મિલ સકતી હે ..
પર માં તો પુણ્ય સે હી મિલતી હે 

હાથ ની રેખાઓ ઉપર વિશ્વાસ હું નથી કરતો.
કારણ કે, નસીબ તો એના પણ હોય છે,
જેમના હાથ નથી હોતા.

ભગવાન આપણી બધી ઈચ્છા તુરંતજ પૂરી નથી કરતા, પરંતુ તે આપણી બધી ભૂલોની સજા પણ તુરંતજ નથી આપતા…

બધા કહે છે કે નસીબ હોય છે નસીબ હોય પણ વાસ્તવ માં તમારા કર્મ નું ફળ જ તમને મળતું હોય છે તેથી હંમેશા સારા કર્મ કરવાનો ધ્યેય રાખો….

લક્ષ હીન મનુષ્ય નું જીવન કોડી તુલ્ય છે.

જ્યારે પણ ભગવાન પાસે કંઈ માગો તો દિમાગથી નહીં નસીબથી માગજો કારણ કે મેં દિમાગવાળાને નસીબવાળાને ત્યાં કામ કરતા જોયા છે

વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે.

ગુરુ ,મંત્ર , દેવતા, તીર્થ , ઓષધ , શાસ્ત્ર અને સત્પુરુષો-એ બધાં શ્રદ્ધાથી ફળે છે, કેવળ તર્કથી નહી. ફળપ્રાપ્તિનો  અમોધ ઉપાય કોરું જ્ઞાન નહી પણ સાધના છે.

દરેક કામમા જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામા મોટું જોખમ હોય છે.

જો નસીબમાં હોઈ કંકર, તો શું કરે શંકર?

બુદ્ધિમાન મનુષ્યને જેટલા અવસર મળે છે, તેનાથી વધુ તો તે બનાવે છે.

શંકા કરીને બરબાદ થવા કરતા વિશ્વાસ રાખીને લૂટાઇ જવુ વધારે સારુ છે

પ્રારબ્ધ  અને  પુરુષાર્થ  બંનેના માર્ગ  ભિન્ન  છે, છતાં  જયારે  તેઓ  જ્યાં  મળે  છે  ત્યાં  અદભુત સફળતા પ્રગટે  છે.

0 comments:

Post a Comment